ગુજરાત
News of Sunday, 20th June 2021

આયુષ ઓક સુરતના નવા કલેકટર : ધવલ પટેલની ગાંધીનગર મનપાના કમિશનર તરીકે નિમણુક કરાઇ

(કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડ : ગુજરાત સરકારે શનિવારે 77 IAS અધિકારીઓની બદલી કરી છે. જેમાં સુરત કલેક્ટર ડો. ધવલ પટેલની બદલી કરાઇ છે. તેમની ગાંધીનગર મનપાના કમિશનર તરીકે નિમણૂંક કરાઈ છે. જ્યારે સુરતના નવા જિલ્લા કલેક્ટર તરીકે આયુષ સંજીવ ઓકની નિમણૂક થઈ છે.

(10:23 am IST)