ગુજરાત
News of Thursday, 20th June 2019

સ્ટેચ્યુ ઓફ યુનિટી કાલે ચાર વાગ્યા સુધી જ ખુલ્લુ

પ્રવાસીઓને જાણ કરવામાં આવી

અમદાવાદ,તા.૨૦ : નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના કેવડીયા કોલોની ખાતે સરદાર વલ્લભભાઇ પટેલ સાહેબની વિરાટ પ્રતિમા સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી આજે તા. ૨૧ મી જૂન, ૨૦૧૯ને શુક્રવારના રોજ પ્રવાસીઓ-મૂલાકાતીઓ માટે સાંજના ફકત ૪-૦૦ વાગ્યાં સુધી ખૂલ્લું રહેશે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની મૂલાકાતે આવનાર તમામ પ્રવાસીઓ-જાહેર જનતાને નોંધ લેવા નર્મદા જિલ્લા કલેકટર અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના એડમિનિસ્ટ્રેટર તરફથી જણાવાયું છે. કોઇપણ પ્રવાસીને હેરાનગતિ ન થાય તે હેતુસર વિવિધતરીતે જાણ કરી દેવામાં આવી છે. મુલાકાતીઓને ધ્યાન રાખવું પડશે.

(9:50 pm IST)