ગુજરાત
News of Thursday, 20th June 2019

વડોદરા નજીક સીંઘરોટ ડેમમાંથી પ્રેમી પંખીડાની લાશ મળી આવતા અરેરાટી

વડોદરા: નજીક આવેલ સિંધરોટ ચેકડેમમાંથી આજે સવારે એક યુવક અને એક યુવતીની લાશ મળી આવી હતી. બન્ને મૃતક પાદરા તાલુકાના હતા અને પોલીસ તપાસમાં એવુ બહાર આવ્યુ છે કે બન્ને પરિણીત હતા અને બન્ને વચ્ચે પ્રેમ સંબંધ હતો. સાથે જીવવાની ઇચ્છાઓ પુરી નહી થતાં આ પ્રેમી પંખીડાઓએ સાથે મરવાનું નક્કી કરીને સિંધરોટ ડેમમાં ઝંપલાવી દીધુ હતું.

મરનાર યુવકનું નામ નિતેશ રણજીતભાઇ પરમાર (ઉ.૨૭) છે અને પાદરા તાલુકાના ગણપતપુરા ખાતે ખોડિયારનગરમાં રહેતો હતો અને છૂટક ડ્રાઇવિંગ કરતો હતો. નિતેશને પાદરા તાલુકાના જાસપુરના ધોબીકુવા ખાતે રહેતી કાજલ (ઉ.૨૨) સાથે પ્રેમ સંબંધ હતો. જો કે નિતેશના બે ત્રણ વર્ષ પહેલા લગ્ન થઇ ચુક્યા હતા અને તેને સંતાનમાં એક પુત્ર પણ છે છતાં નિતેશ અને કાજલ વચ્ચે પ્રેમ સંબંધ ચાલુ રહ્યો હતો.

(5:42 pm IST)