News of Thursday, 20th June 2019
નરહરિ અમીનના ટ્રસ્ટ દ્વારા ૧૦,૦૦૦ ચોપડાઓનું વિનામૂલ્યે વિતરણ
રાજકોટઃ અમદાવાદમાં લોકસહાયક ટ્રસ્ટ દ્વારા ટ્રસ્ટના પ્રમુખ શ્રી નરહરિ અમીન, ટ્રસ્ટીઓ પંકજભાઈ શાહ, તેજસભાઈ જોશી, કોર્પોરેશન સ્કૂલ બોર્ડના સભ્ય પ્રકાશ ગુર્જર વગેરેની હાજરીમાં શાહપુર કોર્પોરેશન શાળા ખાતે વિદ્યાર્થીઓને લખવા માટે ઉપયોગી ચોપડાઓનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવેલ. ટ્રસ્ટ દ્વારા જુદા જુદા વિસ્તારના વિદ્યાર્થીઓને ૧૦,૦૦૦ જેટલા ચોપડાઓનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યુ છે. સંસ્થાની આ પ્રવૃતિને લોકો બિરદાવી રહ્યા છે.
(4:20 pm IST)