ગુજરાત
News of Thursday, 20th June 2019

વાહનમાં 14થી ઓછા બાળકો બેસાડવા પોસાય તેમ નથી અમદાવદમાં કાલે પણ સ્કૂલવાનની હડતાળ ચાલુ રહેશે

અમદાવાદની સ્કુલ વર્ધી એસોશિએશનની હડતાલ કાલે પણ યથાવત રહેવાની છે. અને RTO અને ટ્રાફિક કમિશ્નર નિવારણ નહીં લાવે તો અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

 સ્કુલ વર્ધી એસોસિએશના આગેવાનોએ કહ્યુ હતુ કે, સીએનજી વાહન સાથે માત્ર 14 બાળકોને બેસાડવાની આરટીઓ મંજૂરી આપે છે. અમે સીએનજી બોટલ પર સીટ બનાવીને બેસાડીએ છીએ. પરંતુ 14થી ઓછા બાળકોને બેસાડવા અમને પોસાય તેમ નથી

 . છેલ્લા એક મહિનાથી પાસિંગ કામગીરી બંથ થઈ છે. ત્યારે રવિવારે પણ આરટીઓ ચાલુ રાખી અમારા વાહનોનુ પાસિંગ કરવામાં આવે તેવી સ્કુલ વર્ધી એસોસિએશનને માંગ કરી હતી.

(12:39 pm IST)