અમદાવાદના ચાંગોદરમાં શંકાશીલ પતિએ પત્નીને ઘરમાં પુરી ઓફિસ જતા મહિલા હેલ્પલાઈને છોડાવી
અમદાવાદ:ના ચાંગોદરમાં એક બંધક પરિણીત મહિલાને અભયમ હેલ્પ લાઈને બચાવી હતી. વીસ દિવસ પહેલા થયેલા લગ્ન બાદ પતિને પત્નીના ચારિત્ર્ય પર શંકા ગઈ હતી. મહિલાનો પતિ તેને છેલ્લા ચાર દિવસથી બંધક બનાવીને ઓફિસ જતો રહેતો હતો. અભયંમ હેલ્પ લાઈનને કોલ મળતા જ આ મહિલાને છોડાવી હતી.
મહિલાએ પોતાને મુક્ત કરાવવા માટે પાડોશીઓની મદદ લીધી હતી. મહિલાને બહાર કાઢવા 181 અભયમ હેલ્પ લાઈનનો સહારો લેવાયો હતો. અભયમ હેલ્પલાઇનના હેતાળ ભટ્ટ અને તેની ટીમે ત્યાં આવીને ઘર પરના તાળાને પથ્થરથી તોડી નાંખ્યું હતું અને મહિલાને બંધનમાંથી મુક્ત કરી હતી.
મહિલાને બાદમાં ચાંગોદર પોલીસ સ્ટેશનમાં લઇ જવાઈ હતી. પોલીસે પણ મહિલાના પતિને પોલીસ સ્ટેશન બોલાવ્યો હતો. બંને પતિ પત્ની વચ્ચે મતભેદ ના થાય અને તેમના સંબંધ સુધરે તેવા પ્રયાસ કરાયા હતા.