News of Wednesday, 20th June 2018
1971ના યુદ્ધમાં કચ્છની મહિલાઓની વિરતા : ત્રણ દિવસમાં બનાવી આપ્યો ઍરબેઝનો રનવે
માધાપરની 300થી વધુ મહિલાઓએ માત્ર 3 દિવસમાં જીવનના જોખમે હવાઇ પટ્ટી તૈયારી કરી
અમદાવાદ :ભારત અને પાકિસ્તાન વચ્ચે 1971માં લડાયેલા 13 દિવસના યુદ્ધમાં કચ્છી મહિલાઓની વીરતા અજોડ છે. એ મહિલાઓની હિંમતને ધ્યાનમાં રાખીને કચ્છમાં બનાવાયેલા રાજ્યના સૌથી મોટા વનને 'શૌર્યવન' નામ આપાયું છે. પાકિસ્તાને ભૂજ ઍરપૉર્ટ (જે સૈન્ય એરબેઝ પણ હતું)નો રનવે તબાહ કરી નાખ્યો હતો. માધાપર ગામની 300થી વધુ મહિલાઓએ માત્ર 3 દિવસમાં જીવનના જોખમે હવાઇ પટ્ટી તૈયારી કરી આપી હતી.
(8:32 pm IST)