ગુજરાત
News of Monday, 20th May 2019

ગાંધીનગરમાં પાણીનો વેડફાટ કરનાર રહીશો વિરુદ્ધ તંત્રએ લાલા આંખ કરી ગેરકાયદે જોડાણ કાપવાનો આદેશ

ગાંધીનગર:સમગ્ર રાજ્ય પર જળસંકટ તોળાઈ રહયું છે ત્યારે રાજયના પાટનગર ગાંધીનગર શહેરના ઘણા વિસ્તારોમાં સૌરાષ્ટ્રના ગામડાઓ જેવી સ્થિતિ જોવા મળે છે. સે-ર૪ અને પાલજ સહિત શહેરી વિસ્તારમાં ઘણી જગ્યાએ પાણીના પોકાર ઉઠવા લાગ્યા છે ત્યારે પાણીનો વેડફાટ કરનાર રહિશો સામે તંત્ર હવે લાલ આંખ કરશે. 

પાણીનો બગાડ કરવા ઉપરાંત ઘર આગળ બિનઅધિકૃત રીતે પાણીનું વધારાનું કનેકશન લીધું હશે તો આવા વસાહતીઓ અને વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ માટે તંત્ર સજ્જ થઈ ગયું છે અને આગામી દિવસોમાં સર્વે પણ હાથ ધરાશે. 

(6:01 pm IST)