News of Monday, 20th May 2019
વડોદરાના પતિએ પ્રથમ લગ્નના છૂટાછેડા લીધા વગર બીજા લગ્ન કરી લેતા પરિણીતાએ સાસરિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી
વડોદરા: શહેરની યુવતીને અજમેરમાં લગ્ન કર્યા બાદ જાણ થઇ હતી કે પતિએ પ્રથમ લગ્ન બાદ છુટાછેડા લીધા નથી. યુવતીને પતિના જુઠ્ઠાણાની જાણ થયા બાદ પતિ તેમજ સાસરિયાઓએ ત્રાસ આપી ઘરમાંથી કાઢી મુકતા આખરે યુવતીએ પતિ સહિત અડધો ડઝન સાસરિયાઓ સામે ફરિયાદ નોધાવી છે.
ગોત્રી વિસ્તારમાં ઇસ્કોન મંદિર સામે વી.બી.નગરમાં રહેતી ૨૮ વર્ષની રેણુંએ અગાઉ લગ્ન કર્યા બાદ છુટાછેડા લીધા હતાં. બે વર્ષ પહેલાં ઓળખીતા દ્વારા અજમેરમાં રહેતા શિવપ્રસાદ જગદીશ મહાવરે પણ પ્રથમ લગ્ન કર્યા બાદ છુટાછેડા લીધા છે તેવી જાણ થયા બાદ બંનેના પરિવારજનો ભેગા થયા હતા અને લગ્નનું નક્કી થતાં તા.૧૧ ડિસેમ્બર ૨૦૧૬ના રોજ રેણું અને શીવપ્રસાદે લગ્ન કર્યા હતાં.
(5:59 pm IST)