ગુજરાત
News of Tuesday, 20th April 2021

શહેરાવ ગામમાં "તમે અમને પાસા કરાવ્યા છે" તેમ માની રીશ રાખી હુમલો કરતા ત્રણ ને ઇજાઓ : 9 વિરુદ્ધ ગુનો દાખલ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નાંદોદ તાલુકાના શહેરાવ ગામમાં પાસા માં જઇ આવેલા બે વ્યક્તિઓ એ રીશ રાખી હુમલો કરતા નવ વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ થવા પામી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર વિરેન્દ્રસિંહ તખતસિંહ પરમાર રહે.શહેરાવ ની ફરિયાદ મુજબ રાજેન્દ્રસિંહ નરેન્દ્રસિંહ રાઠોડ તથા ભુપેન્દ્રસિંહ સુરેન્દ્રસિંહ રાઠોડ ના ચાલુ સાલે સ્થાનિક સ્વરાજય ચૂંટણી દરમ્યાન પાસા થતા બંને પંદરેક દિવસ પહેલા જેલ માથી છુટી ઘરે આવેલ હોય તા .૧૬ એપ્રિલે વિરેન્દ્રસિંહના કુટુંબી ભાઇ કિરણસિંહ માનસિંહ પરમાર ની સરકારી દુધ ધારા ડેરી પર ભુપેન્દ્ર સિંહ રાઠોડ દારૂ પીધેલ હાલતમાં જઇ તમે અમારા પાસા કરાવેલ છે તેમ જણાવી ગમે તેમ ગાળો બોલી બે-ત્રણ તમાચ મારી દિધેલ અને તા .૧૮ એપ્રિલ ના રોજ વિરેન્દ્ર સિંહ ને રસ્તામાં ગમે તેમ ગાળો બોલતા ફરીયાદી તથા સાહેદો તેઓને ગાળો નહી બોલવાનું કહી સમજાવવા જતા બાકીનાઓ ભેગા લાકડીઓ વડે માર મારતા વિરેન્દ્રસિંહ પરમાર ,માનસિંહ પરમાર તથા વિકલ્પસિંહ કિરણસિંહ પરમાર ને ઇજાઓ થઈ હોય રાજપીપળા પોલીસે હુમલો કરનાર નવ વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

(11:24 pm IST)