બનાસકાંઠા જિલ્લામાં રોજગાર શરૂ રાખવા માટે કોરોના ટેસ્ટ નેગેટિવ હોવો ફરજીયાત કરવામાં આવ્યો
બનાસકાંઠા: જિલ્લામાં દિવસેને દિવસે કોરોના વાયરસના કેસમાં વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો હાલમાં જે પ્રમાણે લગ્નની સિઝન આવી રહી છે. જેના કારણે લોકો બજારોમાં મોટી સંખ્યામાં ખરીદી કરવા માટે આવી રહ્યા છે. ખરીદી કરવા આવતા બજારોમાં મોટી સંખ્યામાં લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે અને જેના કારણે બનાસકાંઠા જિલ્લામાં સતત કોરોનાવાયરસના કેસમાં વધારો થઈ રહ્યો છે તેને લઈ બનાસકાંઠા જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા શાકભાજીવાળા, હોટલ, રેસ્ટોરન્ટ, ખાણીપીણીની લારી, રીક્ષા, ટેલી-કેબવાળા, પાનના ગલ્લા, ચાની કીટલી, દુકાન, હેરસલુન તથા બ્યુટીપાર્લર, ખાનગી સિક્યુરીટી એજન્સી, સુથાર, લુહાર, ઈલેકટ્રીશીયન, પ્લમ્બર, ટેકનીશીયનો, શોપીંગ મોલ અને શોપીંગ કોમ્લેક્ષમાં કામ કરતાં વ્યક્તિઓ માટે જાહેરનામું પ્રસિધ્ધ કર્યુ છે.જેમાં પાલનપુર, ડીસા, ધાનેરા, ભાભર, થરાદ, થરા નગરપાલિકા વિસ્તારમાં જિ.બનારાકાંઠા તથા તાણા ગામના મહેસુલી વિસ્તારમાં લાગુ પડશે.