News of Saturday, 20th April 2019
વડોદરાના ગોત્રી તેમજ તાંદલજામાં તસ્કરોએ એક મકાનને નિશાન બનાવી રોકડ સહીત દાગીનાની ઉઠાંતરી કરી
વડોદરા,:ગોત્રીના મકાનમાં બે દિવસ પહેલા તસ્કરોએ હાથફેરો કર્યા બાદ ગઈકાલે તસ્કરો તાંદલજાના એક મકાનને નિશાન બનાવી રોકડ અને દાગીના ઉઠાવી ગયા હોવાનો વધુ એક બનાવ નોંધાયો છે.
તાંદલજાના મરિયમ પાર્કમાં રહેતા અને પ્રતાપનગર વિસ્તારમાં ફર્નિચર શોપ ધરાવતા અબ્દુલ કાદર અબ્દુલ ગની મેમણનો પરિવાર ભાવનગર ગયો હોવાથી તેઓ નજીકમાં મીના બંગ્લોઝમાં રહેતા ભાઈને ત્યાં સુવા જતા હતા. ગઈકાલે સવારે વેપારીના સાળાએ ફોન કરી મકાનનો દરવાજાનો નકુચો તૂટ્યો હોવાની જાણ કરતા વેપારી દોડી આવ્યા હતા.
(5:53 pm IST)