ગુજરાત
News of Friday, 20th April 2018

ધો.૧૨નું ૨૦ મે આસપાસ પરીણામઃ ગુજરાત યુનિવર્સિટી દ્વારા ૧લી મેથી પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ કરાશે

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી દ્વારા આગામી શૈક્ષણિક વર્ષ માટે પહેલી મેથી પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવાની જાહેરાત કરવામાં આવી છે. ધોરણ 12ના પરિણામ બાદ યુનિવર્સિટીમાં નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ થવાનો છે. યુનિવર્સિટીના સત્તાધિશોનું માનીએ તો ધોરણ બારનું પરિણામ 20મી મેના આસપાસ જાહેર થશે.. જે બાદ પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. 

ચાલુ વર્ષે પહેલી મેથી માહીતી પુસ્તિકાનું વિતરણ કરવામાં આવશે. વિદ્યાર્થીઓને ફી ભરવા માટે પણ વિકલ્પો આપવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓ કોલેજમાં ફી ભરવાના બદલે હવે ઓનલાઈન ફી ભરી શકશે.. દર વર્ષે યુનિવર્સિટી ખાતે સમગ્ર પ્રક્રિયા હાથ ધરવામાં આવતી હતી. પરંતુ આ વર્ષે કોલેજોમાં પણ નોડલ સેન્ટરને કાર્યરત કરવામાં આવ્યા છે.

(6:30 pm IST)