ગુજરાત
News of Friday, 20th March 2020

મોડાસાના મહાદેવગ્રામ રાજપુર મંદિર અને રાજપુર રામદેવજી મંદિર બંધ : છોટાઉદેપુર નગરમાં શનિવારી હાટ બજાર રહેશે બંધ

રવિવારે ફાર્મા અને માસ્ક બનાવતી ફેક્ટરીઓ રહેશે બંધ : વડોદરા પોલીસ અને કોર્પોરેશને શુક્રવારી બજાર બંધ કરાવ્યું

ગુજરાતમાં પણ કોરોનાનો પગપેસારો થઇ ગયો છે. રાજ્યમાં કોરોના પોઝિટિવના કુલ પાંચ કેસ નોધાયા ત્યારે અરવલ્લીમાં 7 સ્થળો પર 700 લોકોને કોરેન્ટાઇન કરવાની ક્ષમતા ઉભી કરાઈ છે

સમી ખાતેના વરાણાનું ખોડિયાર મંદિર 20થી 31 માર્ચ સુધી બંધ રહેશે।સુરત પોલીસ દ્વારા 144 લાગુ, સુવાલી બીચ અને ડુમસ બીચ પર પ્રતિબંધ મુકાયો છે  મોડાસાના મહાદેવગ્રામ રાજપુર મંદિર અને રાજપુર રામદેવજી મંદિર બંધ રહેશે,  છોટાઉદેપુર નગરમાં શનિવારનો હાટ બજાર રહેશે બંધ ફેડરેશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ અસોશિયેશનેજનતા કરફ્યુને સમર્થન આપ્યું છે રવિવારે ફાર્મા અને માસ્ક બનાવતી ફેક્ટરીઓ રહેશે બંધ વડોદરા પોલીસ અને કોર્પોરેશને શુક્રવારી બજાર બંધ કરાવ્યું છે

(2:06 pm IST)