અમદાવાદના પત્રકાર ચિરાગ પટેલ કેસની તપાસ ક્રાઇમ બ્રાંચને સોંપતા પોલીસ કમિશનર
ઘટનાસ્થળે જઈને ફરીથી તમામ પૂરાવાઓ મેળવીને તપાસ શરૂ કરાશે
અમદાવાદઃ અમદાવાદમાં ખાનગી ન્યુઝ ચેનલના પત્રકાર ચિરાગ પટેલ કેસની તપાસ ક્રાઇમ બ્રાંચને સોંપાઈ છે પત્રકાર ચિરાગ પટેલનો મૃતદેહ નિકોલ વિસ્તારમાંથી મળી આવ્યો હતો.ચિરાગ પટેલ અપમૃત્યુનો મુદ્દો રાજ્યભરમાં ચર્ચાસ્પદ બન્યો હતો
પોલીસની પ્રાથમિક તપાસમાં ચિરાગ પટેલે આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. પરંતુ પરિવારજનો અને પત્રકારોએ આ વાત સ્વીકારી નહોતી. ત્યારે અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર દ્વારા સ્થાનિક પોલીસ જે તપાસ કરી રહી હતી તે તપાસને અમદાવાદ ક્રાઈમ બ્રાંચને સોંપવામાં આવી છે.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે અમદાવાદ બહાર પણ રાજ્યના અનેક જિલ્લાઓના મોટા ગુનાઓના ભેદ ઉકેલ્યાછે. જેથીપોલીસ કમિશ્નર દ્વારા અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચને પત્રકાર ચિરાગ પટેલ કેસની તપાસ સોંપવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઘટનાસ્થળે જઈને ફરીથી તમામ પૂરાવાઓ મેળવીને તપાસ શરૂ કરવામાં આવશે.