તારાપુરના મહીયારીમાં જૂની અદાવતને લઈને ત્રણ બે સભ્યો પર ધારિયાથી જીવલેણ હુમલો કર્યો
તારાપુર: તાલુકાના મહિયારી ગામે ગઈકાલે સવારના સુમારે જુની અદાવતમાં ત્રણ શખ્સોએ ધારીયા અને લાકડીથી હુમલો કરીને બેને જીવલેણ ઈજાઓ પહોંચાડી એકનો ધારીયાના ઝાટકે અંગુઠો કાપી નાંખતા આ અંગે તારાપુર પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.
મળતી વિગતો અનુસાર મહિયારી ગામના પરબડીવાળા ફળિયામા રહેતા રમેશભાઈ બબુભાઈ વાઘેલા અને ઘનશ્યામભાઈ ધીરૂભાઈ વાઘેલાને દીવાલ બનાવવા બાબતે ઝઘડો ચાલી રહ્યો છે અને આ જુની અદાવતમાં ગઈકાલે ઘનશ્યામભાઈએ ઝઘડો કર્યો હતો અને ધારીયું લઈ આવીને રમેશભાઈને માથાના ભાગે મારી દીધું હતુ જેથી તેઓ લોહીલુહાણ થઈ જવા પામ્યા હતા. બીજી વખત ધારીયું મારવા જતા રમેશભાઈએ જમણો હાથ વચ્ચે લાવી દેતાં અંગુઠો કપાઈ જવા પામ્યો હતો. પોપટભાઈએ પોતાની પાસેની લાકડી નટુભાઈને માથામાં મારી દેતાં તેઓ લોહીલુહાણ થઈ જવા પામ્યા હતા. ત્યારબાદ રાજુભાઈ રાયસંગભાઈએ પણ લાકડીની ઝાપોટો મારીને ઈજાઓ પહોંચાડી હતી.