News of Thursday, 20th February 2020
અમદાવાદમાં ઝુંપડા ઢાંકવાની કાર્યવાહીનો વિરોધ : ઝુંપડાવાસીઓએ હાથમાં બેનરો લઈને રેલી કાઢી
કોર્પોરેશનની ઓફિસે દેખાવો કર્યા :મકાન ફાળવવાની માંગણી
અમદાવાદ : અમદાવાદમાં ટ્રમ્પ અને મોદીના આગમનને લઇ કેટલીક જગ્યાએ ઝુંપડા ઢાંકવાની કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે સ્થાનિક રહીશોએ રેલી યોજીને કોર્પોરેશનની ઓફિસે દેખાવો કર્યા હતા અને મકાન ફાળવવાની માંગણી કરી હતી.
અમદાવાદના સરણીયાવાસનના ઝુંપડા ન દેખાય તે માટે ચાર ફુટની દીવાલ બનાવવામાં આવી છે. સૃષ્ટી આર્કેડ પાસે આવેલા 45 ઝુંપડાવાસીઓને 7 દિવસમાં જમીન ખાલી કરવા નોટીસ આપવામાં આવી છે. જોકે તંત્રનુ કહેવું છે કે તેઓ સરકારી પ્લોટમા ગેરકાયદે રહે છે અને આથી પ્લોટ ખાલી કરવા કહેવામાં આવ્યુ છે.
(11:25 pm IST)