News of Wednesday, 20th January 2021
વડોદરા નજીક મહાપુરામાં નવજાત બાળકીને તરછોડી નિષ્ઠુર માતાપિતા ફરાર થઇ જતા અરેરાટી
વડોદરા:નજીક મહાપુરા ગામ પાસે નવી બનતી રેલવે લાઈનની નજીકના પગદન્ડી રસ્તાની સાઈડમાં કોઈ અજાણી વ્યક્તિ નવજાત બાળકીને ગઈકાલે સાંજે તરછોડી ગયું હતું.
આ અંગેની જાણ મહાપુરા ગામના સરપંચને થતા તેમણે તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
પોલીસ તપાસમાં નવજાત બાળકી મૃત હાલતમાં હતી. કોઈ અજાણી વ્યક્તિ પોતાનું પાપ છુપાવવા મૃત બાળકીને તરછોડી ગયું હોવાનું જણાતા હવે પોલીસ નિષ્ઠુર માં બાપને શોધી રહી છે.
(5:12 pm IST)