ગુજરાત
News of Wednesday, 20th January 2021

૧૫ શ્રમજીવીઓના મોત બદલ ફૈઝલ અહેમદભાઇ પટેલે દુઃખ વ્યકત કર્યું: ઇજાગ્રસ્તો માટે પ્રાર્થના કરી

અંકલેશ્વરઃ સુરતના કીમ નજીક ગોઝારા અકસ્માતમાં થયેલા શ્રમજીવીઓનાં મોત બદલ સ્વ. અહમદભાઈ પટેલના  પુત્ર   ફેઝલ પટેલે દુઃખ વ્યકત કરી પીડિતોના  પરિવારને મદદ પુરી પાડવામાં આવે તેવી   લાગણી વ્યકત કરી હતી.

કીમ-માંડવી રોડ પર એક  ટ્રક   રોડની બાજુમાં સૂતેલા શ્રમજીવી પરિવારો ઉપર ફરી વળતાં ૧૫થી વધુ શ્રમજીવીઓના કમકમાટીભર્યા મોત નિપજતા અરેરાટી વ્યાપી જવા પામી હતી.

 આ અકસ્માતમાં ચાર જેટલા શ્રમજીવીઓ ઘાયલ થતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની સ્વ. અહમદભાઇ પટેલના સુપુત્ર ફૈઝલભાઈ પટેલને માહિતી મળતા તેઓએ ટ્રિવિટ કરી ખૂબ જ દુઃખ વ્યકત કર્યું હતું અને રાજ્ય સરકારને પીડિતોના પરિવારોને તમામ સહાય અને મદદ પૂરી પાડવામાં આવે તેવી લાગણી વ્યકત કરી હતી અને મૃતકોની આત્માને શાંતિ મળે અને ઇજાગ્રસ્તો શ્રમજીવીઓ વહેલા સ્વસ્થ  થાય તેવી દુઆ અને પ્રાર્થના કરી હતી.

(12:55 pm IST)