ગુજરાત
News of Wednesday, 20th January 2021

દેડિયાપાડા એ.પી.એમ.સી.ના ગોડાઉનમાં લાગેલી આગ બાબતે ફરિયાદ દાખલ : કુલ રૂ.16.24 લાખનું નુકશાન

શોર્ટ સર્કિટ થી લાગેલી આગ મા ગોડાઉન મૂકેલું ખાતર અને દવાનો જથ્થો સ્વાહા થઈ ગયો હતો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જીલ્લાના દેડિયાપાડાએ. પી.એમ સી.ના ગોડાઉનમા બે દિવસ પહેલા લાગેલી આગ બાબતેની ફરિયાદ બે દિવસ બાદ પોલીસ મથકે નોંધાઈ છે.

 પ્રાપ્ત માહિતી અનુસાર ગત તા.૧૭ જાન્યુઆરીની સવારે ૧૦ વાગે ડેડીયાપાડા એપીએમસી ગોડાઉનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી જેમાં લાખોના નુકશાનનો અંદાજ હતો ત્યારે ત્યાં ફાયરના અભાવે સ્થાનિકોએ જેસીબી દ્વારા દીવાલો તોડી આગા ઓલવવા પ્રયાસ કર્યો હતો પરંતુ ગોડાઉનમાં મુકેલો સામાન આગમાં બળીને ખાક થઈ ગયો હતો.

 જેમાં બે દિવસ બાદ આજે તા.19 જાન્યુઆરીના રોજ ગોડાઉન રાખનાર રાજકુમાર ગુપ્તાએ  ડેડીયાપાડા પો.સ્ટે.માં ફરીયાદ આપી હોય જેમાં જણાવ્યા મુજબ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી જેમાં ગોડાઉનઆ મુકેલા ખાતર અને દવાનો રૂપિયા ૧૬,૨૪,૨૦૯ જથ્થો બળી ગયો હતો.ડેડીયાપાડા પોલીસે ફરિયાદ બાદ જરૂરી તપાસ હાથ ધરી છે.

(10:40 pm IST)