મોહંમદ પયગંબર સાહેબના જન્મ દિનને ગરીબો સાથે ઉજવવાનો ઉત્તમ સંદેશો આપનાર સૈયદ હસન અસ્કરી મિયાં રાજપીપળા પધારશે.
શુક્રવારે સવારે 10 વાગે ઝુલુસ રાજપીપળાના મુખ્ય માર્ગ પર ફરીને કસબાવાડ મદ્રેસા જશે અને ત્યાં મુરીદોને મુલાકાત આપશે
રાજપીપળા : નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળા ખાતે ફરજંદે મોહદ્દીસે આજમે હિન્દ સૈયદ અરબીમીયા સાહબ ફરજંદે આગૌસી હુઝુર સૈયદ શેખુલ ઇસ્લામ મદની મીયા સૈયદ હસન અસ્કરી મિયાં રાજપીપળામાં બે દિવસના પ્રવાસે આવશે.આ કાર્યક્રમ મોહદ્દીશે આઝમ મિશન રાજપીપળા દ્વારા આયોજિત કરવામાં આવ્યો છે.
સૈયદ હસન અસ્કરી મિયાં આવનાર હોય એ સંદર્ભે તારીખ 24 જાન્યુઅરીને શુક્રવારે નિઝામશાહા નાંદોદી (ર.અ) ની દરગાહ પરથી સવારે 10 વાગે ઝુલુસ નીકળશે એ રાજપીપળાના મુખ્ય માર્ગ પર ફરીને કસબાવાડ મદ્રેસા જશે અને ત્યાં મુરીદોને મુલાકાત આપશે. ત્યાર બાદ રાજપીપળાની જામા મસ્જિદમાં જુમ્માની નમાજ અદા કરાવ્યા બાદ તણખલા ગામ જવા નીકળશે ત્યાં મગરીબ ની નમાઝ અદા કરાવશે તા.25 જાન્યુઆરી એ ચાણોદ , સિસોદ્રા,ગામની મુલાકાત લઇ ત્યારબાદ મગરીબની નમાજ નિજામી મસ્જિદ રાજપીપળામાં અદા કરાવશે. અને પછી તોરણા ગામની મુલાકાત પણ લઇ પાદરા જવા રવાના થશે.