News of Tuesday, 19th November 2019
નિત્યાનંદ આશ્રમમાં દુર્વ્યવહારની તપાસ વેળાએ બે બાળકોને આશ્રમને છોડવાની ઈચ્છા દર્શાવી
બાળકોના નિવેદન લેવાયા : વાલીઓ સાથે ચર્ચા બાદ બાળકોની કસ્ટડી સોંપવા પોલીસ કરશે નિર્ણંય
અમદાવાદ : અમદાવાદના હાથીજણમાં નિત્યાનંદ આશ્રમમાં દુર્વ્યવહારની તપાસ દરમિયાન અન્ય બે બાળકોએ આશ્રમ છોડવાની ઈચ્છા દર્શાવી હતી આ મામલે પોલીસે ચાઈલ્ડ વેલફેર કમિટીને જાણ કરીને અધિકારીઓને આશ્રમ બોલાવ્યાહતા
. ચાઈલ્ડ વેલફેર કમિટીના અધિકારીઓની હાજરીમાં બાળકોના નિવેદન લેવાયા બાદ પોલીસ તેમના વાલીઓનો સંપર્ક કરશે. અને વાલીઓ સાથે ચર્ચા બાદ પોલીસ બાળકોની કસ્ટડી સોંપવાનો નિર્ણય લેશે.
(10:58 pm IST)