News of Tuesday, 19th November 2019
પેટલાદ તાલુકાના સુણાવ નજીક એનઆરઆઈની 135 ગુંઠા જમીન બોગસ કરારોના આધારે પચાવી પાડનાર વિરુદ્ધ ગુનો દાખલ
પેટલાદ:તાલુકાના સુણાવ ગામની સીમમાં આવેલી એનઆરઆઈની જુદા-જુદા સર્વેવાળી ૧૩૫ ગુંઠા જમીન ગામના જ એક શખ્સે બોગસ ગીરો કરાર લખીને તેના આધારે પચાવી પાડી કબજો કરી લેતાં આ અંગે પેટલાદ પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.
મળતી વિગતો અનુસાર મુળ સુણાવના પરંતુ હાલમાં સુરત ખાતે રહેતા રીપલભાઈ ઈન્દ્રવદનભાઈ પટેલની સુણાવ ગામની સીમમાં બાપ-દાદાની સંયુક્ત માલિકીની ૧૩૫ ગુંઠા જેટલી જમીન આવેલી છે.
(5:49 pm IST)