ગુજરાત
News of Friday, 19th October 2018

સોજીત્રા તાલુકાના પીપળાવમાં અજાણ્યા વાહનની હડફેટે એક્ટિવા ચાલકે ઘટનાસ્થળેજ દમ તોડ્યો

સોજીત્રા:તાલુકાના પીપળાવ ગામે રહેતા કૌશિકભાઈ મનુભાઈ પટેલ (ઉ. વ. ૭૨)ગત ૧૬મી તારીખના રોજ સવારના સુમારે પોતાનું એક્ટીવા નંબર જીજે-૨૩, બીપી-૯૧૨૮નું લઈને વડતાલ સ્વામિનારાયણ મંદિરે દર્શન કરવા માટે ગયા હતા. દર્શન કરીને બપોરના સુમારે પરત આવવા નીકળ્યા હતા. સાડા બારેક વાગ્યાના સુમારે તેઓ સંજાયા ગામના તળાવ પર આવેલા વણાંક પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે પુરપાટ ઝડપે આવી ચઢેલા કોઈ અજાણ્યા વાહને ટક્કર મારતાં તેમને માથામાં તથા શરીરના અન્ય ભાગોએ ગંભીર ઈજાઓ થવા પામી હતી. જેથી તેમને સારવાર માટે આણંદની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું અવસાન થયું હતુ. આ અંગે મહેળાવ પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે. 

(4:54 pm IST)