ગુજરાત
News of Friday, 19th October 2018

પાલનપુર નજીક પેસેન્જર ટ્રેનમાં મુસાફરો લૂંટાયા : બાન્દ્રાથી ચંદીગઢ જતી ટ્રેનમાં લૂંટારુ ટોળકી ત્રાટકી

એસ-5 અને એસ 6 કોચમા લૂંટારૃઓએ બે મહિલાઓ ચેન ઝૂંટવ્યા :દોઢ કલાક સુધી મુસાફરો અટવાયા

બનાસકાંઠા : બાંદ્રાથી ચંડીગઢ જતી ટ્રેનમાં લૂંટારાએ ચાલતી ટ્રેનમાં પ્રવાસીઓને ધમકાવી દિલધડક લૂંટ ચલાવી હોવાની બનતા ખળભળાટ મચી ગયો છે. પાલનપુર નજીક રેલવેમાં લૂંટારુઓ ચેઈન પુલિંગ કરી ફરાર થઇ ગયા હતા. જેમાં બે મહિલાઓ સાથે ચેનસ્નેચિંગ કરવામાં આવ્યું હતું. આ સાથે કુલ ત્રણ લૂંટનો ભોગ બન્યા હતા.

  પાલનપુર નજીક મોડી રાત્રે  બાંદ્રાથી ચંડીગઢ જતી 22451 ટ્રેનમાંના એસ-5 અને એસ 6 કોચમાં લૂંટારુ ટોળકી ત્રાટકી હતી, અને  લૂંટ ચલાવી હતી.લૂંટારુઓએ ટ્રેનના અન્ય કોચને પણ નિશાન બનાવ્યા હતા અને યાત્રીઓ સાથે ચેનસ્નેચિંગ પણ કર્યુ હતું. લૂંટારુઓએ લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા. અહેવાલ મુજબ લૂંટની ઘટના બાદ અંદાજે દોઢ કલાક સુધી મુસાફરો પાલનપુર નજીક અટવાયા હતા.

(12:36 pm IST)