ગુજરાત
News of Friday, 19th October 2018

સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણની તૈયારીનો આખરી ઓપ :કેવડિયામાં મુખ્યમંત્રીએ યોજી સમીક્ષા બેઠક

 

કેવડિયા :મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણીએ આજે કેવડિયામાં સાધુ બેટ ખાતે નિર્માણ થયેલી સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણની પૂર્વ તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું. બાદમાં કેવડિયામાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજી સમીક્ષા કરી હતી. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ પણ બેઠકમાં જોડાયા હતા.

મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણીએ બેઠકમાં માર્ગદર્શન આપતાં સ્પષ્ટ પણે કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે 31 ઓક્ટોબરે પ્રતિમા રાષ્ટ્રને અર્પણ થયા બાદ દિવાળીના તહેવારોની રજાઓમાં 10 નવેમ્બર સુધી પ્રવાસીઓનો ધસારો રહેશે. ત્યારે પ્રવાસન સુવિધાઓમાં સ્વચ્છ પીવાના પાણી. સ્વચ્છતા માટે જગ્યાએ જગ્યાએ કચરા પેટીઓ. શૌચાલય અને સિક્યુરિટી વ્યવસ્થા સુદ્રઢ અને પૂરતી માત્રામાં ઉભી કરવાને અગ્રતા અપાય.

(10:52 pm IST)