News of Thursday, 19th September 2019
અમદાવાદમાં અનુરાજ એપાર્ટમેન્ટ, ન્યુ રાણીપમાં બાળકો સંચાલિત ગણેશ ઉત્સવ ઉજવાયો
અમદાવાદઃ અમદાવાદમાં અનુરાજ એપાર્ટમેન્ટ, ન્યુ રાણીપ ખાતે ર સપ્ટેં. ૨૦૧૯ના રોજ સોસાયટીના નાના બાળકોએ ઉત્સાહ પૂર્વક ગણેશ સ્થાપન કર્યુ હતું. તથા ઇકો ફ્રેન્ડલી ગણેશ દ્વારા સ્વચ્છતા અભિયાન અને પર્યાવરણ જાળવણીનો સંદેશ આપ્યો હતો. માટીના ગણેશની સ્થાપના સાથેના ગણપતિ ઉત્સવનું સમગ્ર સંચાલન નાના બાળકોએ કર્યુ હતું.
આ બાળકો માહી મોદી, વેદાંશી, પ્રિયલ, હેત્વી,અપી, ફેનિલ,મેઘ, હેશ્વ, શૈર્ય, હીયા પ્રાયા, હેલન, સાનવી, કશ્વિ,જીયા, ધ્રુવી સહિત તમામ ૧૧ વર્ષથી ઓછી વયના છે. તેવું શ્રી બ્રિજેશ પટેલની યાદી જણાવે છે.
(6:55 pm IST)