News of Thursday, 19th September 2019
અમદાવાદના સરદારનગરમાં જુગારમાં પૈસા હારી જતા જમાઈએ ત્રણ લાખ માટે સસરાનું અપહરણ કર્યું: મારઝૂડ કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ
અમદાવાદ: શહેરના સરદારનગરમાં રહેતા વેપારણું તેના જ જમાઈએ ત્રણ લાખ રૃપિયા માટે અપહરણ કર્યું હતું. જુગારમાં પૈસા હારી જતા તેણે પત્નીને તેના પિતા પાસેથી ત્રણ લાખ લઈ આવવા કહ્યું હતું. પરંતુ પૈસા ન મળતા આરોપી તેમને રિક્ષામાં ઉઠાવી ગયો હતો અને મારઝુડ કરીને જાનથી મારવાની ધમકી આપી હતી. સરદારનગર પોલીસે ચાર જણા સામે ગુનો નોંધ્યો છે.
આ બનાવની વિગત મુજબ છારાનગર કુબેરનગરમાં બબુસિંગની ચાલીમાં રહેતા સુનિલસિંગ ડી.રાજપુત(૫૫) નરોડામાં કપડાનો શોરૃમ ધરાવે છે. તેમની દિકરી કવિતા(૨૩)એ ૨૦૧૦માં નોબલનગરમાં રહેતા અક્ષય ઉર્ફે ડેની એસ.ધાસી સાથે પ્રેમલગ્ન કર્યા હતા. લગ્ન બાદ તે તેના પતિ સાથે રહેતી હતી.
(5:40 pm IST)