ગુજરાત
News of Wednesday, 19th September 2018

સુઈગામ સહીત આસપાસના 13 ગામના ખેડૂતો પાણી પ્રશ્ને ઉપવાસ પર ઉતર્યા

કેનાલમાં પાણી નહિ આવે ત્યાં સુધી ઉપવાસ ચાલુ રાખવા ચીમકી

 

સુઈગામ સહિત આસપાસના 13 ગામના ખેડૂતો પ્રાંત કચેરી આગળ અનશન ઉપર ઉતર્યા છે. મોટી સંખ્યામાં ખેડૂતો તડકામાં અનશન ઉપર બેઠા છે. 3 દિવસ અગાઉ ખેડૂતોએ પાણી માટે રજૂઆત કરી હતી. કેનાલમાં પાણી આવતાં ખેડૂતો અનશન પર બેઠા હતા. પાણી નહીં આવે ત્યાં સુધી ખેડૂતોના અનસન ચાલુ રહેશે.

(11:13 pm IST)