ગુજરાત
News of Wednesday, 19th September 2018

ખેડબ્રહ્માથી અંબાજી જતા બે ભાઈઓનો ખેરોજ નજીક નદીમાં ગરકાવ થતા બે દિવસે લાશ મળી આવતા પરિવારમાં શોકની લાગણી

ખેડબ્રહ્મા:થી અંબાજી હાઈવે ઉપર પદયાત્રીઓ ચાલી રહ્યા છે ત્યારે ખેરોજ ગામ પાસે સાબરમતી નદીમાં નડિયાદના ચકલાસી ભાગોળમાં રહેતા બે ભાઈઓ નહાવા પડયા હતા જે ઊંડા પાણીમાં ગરકાવ થતા બંને ડુબી ગયા હતા. રાત્રીના નદીમાં શોધખોળ કરી હતી પરંતુ મળી આવ્યા નહોતા જે આજે સવારે બંનેની લાશો મળી આવી હતી.

ખેડબ્રહ્મા અંબાજી હાઈવે રોડ ઉપર લાખોની સંખ્યામાં પદયાત્રીઓ ચાલી રહ્યા છે ત્યારે ખેરોજ ગામે આવેલી સાબરમતી નદીમાં નડિયાદ તાલુકાના ચકલાસી ભાગોળમાં રહેતા અક્ષય દિનેશભાઈ તળપદા (ઉં.વ. ૧૬), તુસાર દિનેશભાઈ તળપદા (ઉ.વ. ૨૧) બંને ભાઈઓ સાંજના ૬ વાગ્યાના સુમારે નાહવા પાણીમાં ઉતર્યા હતા. અચાનક બંને ભાઈઓ ઊંડા પાણીમાં જતા ડુબી ગયા હતા.

(4:53 pm IST)