પેટલાદ તાલુકાના પંડોળીમાં રીક્ષા લઈને આંટાફેરા કરવા બાબતે થયેલ તકરારમાં 2 મહિલાને ઇજા
પેટલાદ: તાલુકાના પંડોળી ગામના વાવવાળા ફળિયામાં બેસણાના મંડપમાં રીક્ષા લઈને આંટા-ફેરા મારવા બાબતે ચાર શખ્સોએ તકરાર કરીને બે મહિલાને માર મારીને ફેક્ચર કરી નાંખતા આ અંગે પેટલાદ રૂરલ પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે.
મળતી વિગતો અનુસાર ફરિયાદી કનુભાઈ ગોરધનભાઈ પરમારના માતા મરણ ગયા હોય જે અંગે બેસણું રાખેલ હોય, ફળિયામાં મંડપ બાંધ્યો હતો દરમ્યાન સગાસબંધીઓ આવીને બેઠા હતા ત્યારે ફળિયામાં રહેતા જલાભાઈએ રીક્ષા લઈને બે થી ત્રણ આંટા ફેરા મારતાં મંડપમાં બેઠેલા સગાસંબંધીઓને કનડગત થવા માંડી હતી જે અંગે ઠપકો કરતાં મીનાબેન જયંતિભાઈ પરમાર લાકડી લઈને આવી ચઢ્યા હતા અને કનુભાઈને ડાબા હાથે મારીને ફેક્ચર કરી નાંખ્યું હતુ. ભરતભાઈ તથા શીલ્પાબેન ઉપરાણું લઈને આવી ચઢ્યા હતા અને કનુભાઈ તથા ઘરના સભ્યોને ગમે તેવી ગાળો બોલીને વિમળાબેનને ગડદાપાટુનો માર માર્યો હતો.