ગુજરાત
News of Wednesday, 19th September 2018

ઉછીના પૈસાની બાબતે ઠાસરાના મંગળપુરામાં ત્રણ ઈસમોએ મળી એકને માર માર્યો

ઠાસરા: તાલુકાના મંગળપુરામાં ઉછીના પૈસા આપવાની ના પાડતા ત્રણ ઈસમોએ ગડદાપાટુ માર માર્યાના બનાવ અંગે ડાકોર પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. 
પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત ઠાસરા તાલુકાના મંગળપુરામાં ચાવડા પરિવારો વસવાટ કરે છે. આજે સવારે ગીરીશભાઈ દલપતભાઈ ચાવડાએ હિંમતભાઈ ચાવડા પાસે પૈસાની માંગણી કરી હતી ત્યારે હિંમતભાઈએ મારી પાસે પૈસા નથી, નહીં મળે તેવું કહેતા ગીરીશભાઈ ચાવડા ઉશ્કેરાઈ જઈ ગમે તેમ ગાળો બોલવા લાગ્યો હતો. એટલું જ નહીં હિંમતભાઈ નટવરભાઈ ચાવડાને ગડદાપાટુ માર મારી ઈજા કરી હતી. 
આ બનાવ અંગે હિંમતભાઈ ચાવડાની ફરિયાદ આધારે ડાકોર પોલીસે ગીરીશભાઈ દલપતભાઈ ચાવડા, વિપુલભાઈ કીરીટભાઈ ચાવડા તેમજ કાંતાબેન કીરીટભાઈ ચાવડા સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

(4:51 pm IST)