ગુજરાત
News of Wednesday, 19th September 2018

શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ:માર્ગોમાં જય અંબેના નાદ

ગુજરાતના પ્રમુખ શક્તિપીઠ અંબાજી ખાતે આજે બુધવારથી ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ થઈ રહ્યો છે. 19મી સપ્ટેમ્બરથી 25 સપ્ટેમ્બર સુધી સાત દિવસ ચાલનાર મેળા દરમિયાન લાખોની સંખ્યામાં ભક્તો માં અંબાના દરબારમાં આવે છે. મેળવાની શરૂઆત થતા અંબાજીના બજારોમાં ભીડના દ્રશ્યો જોવા મળી રહ્યા છે તેમજ બોલ માડી અંબે જય જય અંબેનો નાદ ગુંજી ઉઠ્યો છે.   

(12:53 pm IST)