ગુજરાત
News of Monday, 19th August 2019

સુરતના વરાછા વિસ્તારના ગોડાઉનમાં ગાંધીનગર પુરવઠા વિભાગના દરોડા : કૌભાંડ ખુલવા શકયતા

અનાજના જથ્થામાં મોટાપાયે ગોટાળો થતો હોવાની ફરિયાદ બાદ કાર્યવાહી

સુરતના વરાછા વિસ્તારમાં આવેલા પુરવઠા નિગમના ગોડાઉન પર ગાંધીનગર પુરવઠા વિભાગની ટીમ દ્વારા દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વ્યાજબી ભાવની દુકાન ઉપર ઠાલવવામાં આવતા સરકારી અનાજના જથ્થામાં મોટાપાયે ગોટાળો થતો હોવાની ફરિયાદના આધારે કાર્યવાહી કરવામાં આવી છે. જો કે તપાસ દરમિયાન ગોડાઉનમાં અનાજની બોરીઓ ખુલ્લી જોવા મળી હતી. જો કે  અહીંના કારોબારીઓએ અનાજના ગોડાઉનને તાત્કાલિક બંધ કરી ઘટના પર પડદો પાડવાનો પ્રયાસ કરાયો હતો. ત્યારે તપાસ બાદ કરોડોનું અનાજ કૌભાંડ બહાર આવે તેવી શક્યતા હાલ સૂત્રો દ્વારા સેવાઇ રહી છે.

(11:01 pm IST)