ગુજરાત
News of Monday, 19th August 2019

નડિયાદના મલારપુરામાં શ્રાવણીયો જુગાર રમતા 10 જુગારીઓને પોલીસે 33 હજારની રોકડ સાથે ઝડપી પાડ્યા

નડિયાદ: શહેરના શ્રાવણ માસમાં ઠેર ઠેર ચાલતા જુગારધામો પર પોલીસ દરોડા પાડી રહી છે. જેના ભાગરૂપે નડિયાદ શહેરના મલારપૂરા વિસ્તારમાં આવેલા રાવળવાસમાં ફુલહાઇ માતાના મંદિર પાસે ખુલ્લામાં જુગાર રમી રહેલા સંજયભાઇ જયંતીભાઇ રાવળ, ગોપાલ અંબાલાલ તળપદા, જગદિશભાઈ ગોપાલભાઇ દેવીપુજક, ગોપાલભાઇ શંકરભાઇ રાવળ, લાલાભાઇ ઉર્ફે જીતુભાઇ રાજુભાઇ રાવળ, જીગ્નેશભાઇ જયંતીભાઇ તળપદા, મુકેશ રમણભાઇ તળપદા, નાશીરહુશેન મહંમદહુશેન શેખ, અક્ષય રાજુભાઇ રાવળ, સચિનભાઇ પ્રવિણભાઇ પ્રજાપતિને પોલીસે ઝડપી પાડ્યા હતા. તમામની અંગઝડતીમાંથી પોલીસને ૩૩,૭૮૦ રૂપિયાનો મુદ્દામાલ મળી આવતાં તે જપ્ત કર્યો હતો. 

(5:47 pm IST)