News of Monday, 19th August 2019
અમદાવાદના પ્રહલાદનગરમાં દંપતીની ખોટી સહી કરી બેન્કમાંથી 4.5 કરોડની ઉચાપત કરનાર ઠગ વિરુદ્ધ પોલીસ ફરિયાદ
અમદાવાદ: શહેરના પ્રહલાદનગરમાં રહેતા દંપતીની ખોટી સહીઓ કરીને જુદી જુદી બેન્કો અને ફાઈનાન્સ કંપનીમાંથી ૪.૫ કરોડની બિઝનેસ લોન લઈને છેતરપિંડી કરનારા શખ્સ સામે આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
આ બનાવની વિગત મુજબ પ્રહલાદનગરમાં સેપલ ગારનેટમાં રહેતા મુકેશ બી.ચોરડીયા કાલુપુરમાં ટ્રેડીંગ કંપની ધરાવે છે. તેમના મિત્ર અને એસ.જી.હાઈવે પર પુરૃષોત્તમ બંગ્લોઝમાં રહેતા કૃષ્ણકાંત ભીમસેન ગોયલે ંકેશભાઈને કહ્યું હતું કે તે ગાંધીનગર ખાત્રજ ખાતે લક્ષ પોલીટેક્ષ પ્રા.લી.કંપની ધરાવે છે. હાલમાં તેમની સાથે કામ કરતા ડિરેક્ટર સાથે બનતુ ન હોવાથી તેમનાથી અલગ થવા માંગુ છું અને તમે કંપનીમાં રોકાણ કરીને જોડાવ એમ મુકેશભાઈને કહ્યું હતું.
(5:39 pm IST)