ગુજરાત
News of Friday, 19th July 2019

હિંમતનગરના પરબડા ગ્રામ પંચાયતના ઉપસરપંચ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ :મનસ્વી વલણથી વહીવટનું આપ્યું કારણ

અવિશ્વાસની દરખાસ્ત તલાટી અને ટીડીઓને મોકલી આપતા પંથકમાં રાજકીય ચકચાર

 

હિંમતનગરના પરબડા ગ્રામ પંચાયતના ઉપસરપંચ સામે અવિશ્વાસ પ્રસ્તાવ રજુ કરતા ગામના રાજકીય આલમમાં દોડધામ મચી છે. ગ્રામ પંચાયતના 12 માથી 10 સભ્યોએ અવિશ્વાસ રજૂ કરતાં ઉપસરપંચ બરોબરના મુંઝવણમાં મુકાયા છે

   હિંમતનગર જિલ્લાના પરબડા ગ્રામ પંચાયત અચાનક લાઇમ લાઇટમાં આવી છે. ઉપસરપંચ બલોચ અબ્દુલરહેમાન સામે એકસાથે 18 સભ્યોએ અવિશ્વાસ પ્રસ્તાવ મૂક્યો છે. ઉપસરપંચ મનસ્વી વલણથી ગ્રામ પંચાયતનો વહીવટી કરતા હોવાનું કારણ આપ્યું છે. સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત તલાટી અને ટીડીઓને મોકલી આપતા પંથકમાં રાજકીય ચકચાર મચી ગઇ છે

(12:31 am IST)