પાદરાના લતીપુરાના તળાવમાં યુવકનો ગરકાવ
પાદરા: તાલુકામાં આવેલા લતીપુરા ગામમાં તળાવમાં ડૂબી જવાથી હસમુખ તડવી નામના ૩૨ વર્ષીય યુવકનું મોત થયું છે. યુવક લતીપુાર ગામ ના તળાવ પાસેજ રહેતો હતો જે ગઇકાલે સાંજે તળાવમાં નાહવા પડયો હતો.
ત્યાર બાદ બહાર નહિ નીકળતાં સ્થાનિક લોકોએ પાદરા પોલીસ અને મામલતદારને જાણ કરતા પાદરા મામલતદાર દ્વારા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી વહેલી સવારે સ્થાનિક મામલતદાર ટીડીઓ સહીત પાદરા પોલીસ ઘટના સ્થળે ધામાં નાખ્યા હતા. અને વડોદરા જીઆઇડીસી ફાયર બ્રિગેડ દ્વારા તળાવમાં યુવાનને શોધવાની તજવીજ હાથ ધરી હતી. જ્યારે બે કલાકની જહેમત બાદ યુવકની લાસ મળી આવી હતી અને તેને પોસ્ટમોટમ ખાતે મોકલવામાં આવી હતી.
પાદરાના લતીપુરા ગામની નવીનગરી માં રહેતા યુવાન ગામ ના તળાવમાં નાહવા પડયો હતો અને તળાવના પાણીમાં લાપતા બન્યો હતો ગ્રામજનો એ ઘટના સ્થળે દોડી આવી ફાયરબ્રિગેડને જાણ કરી હતી જ્યારે આવેલ લશ્કરો એ ભારે બે કલાકની જહેમત બાદ શોધી કાઢ્યો હતો અને પરિવારને સોપાયો હતો.