ગુજરાત
News of Thursday, 19th July 2018

આમોદથી ભરૂચ જતા રોડ માર્ગ પર મસમોટા ગાબડાં ; વાહન ચાલકોને હાલાકી

આમોદથી ભરૂચ જતા માર્ગ પર મસમોટા ખાડાઓને કારણે વાહન ચાલકોને મોટી હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. જયારે તંત્ર દ્વારા રસ્તા પર પડેલા ખાડાઓનું સમારકામ નહીં કરાતા અવાર નવાર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાતા હોય છે. કેટલાક વાહન ચાલકોને વાહનોમાં મોટા મોટા ખર્ચ વેઠવાનો પણ વારો આવ્યો હતો. પંથકના લોકોમાં ઉદાસીન તંત્ર વિરુદ્ધ ભારે રોષ જોવા મળી રહ્યો છે.

(1:35 pm IST)