ગુજરાત
News of Thursday, 19th July 2018

સોલા સ્થીત સંસ્કૃત બીએડ કોલેજ એક વર્ષ માટે ચાલુ રહેશે

એનસીટીઇએ માન્યતા રદ કરતા સરકારમાં રજુઆત પગલે નિર્ણય

અમદાવાદ તા ૧૯ : સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી સાથે સંકળાયેલી અમદાવાદના સોલા ભાગવત વિદ્યાપીઠ ખાતેની સંસ્કૃત બીએડ કોલેજ આ વર્ષે બંધ કરાતા સંસ્કૃત શિક્ષક મંડળ અને વિદ્યાર્થી મંડળે ઉગ્ર વિરોધ કર્યો હતો બાદ શિક્ષણમંત્રીએ કોલેજ ટ્રસ્ટી અને શિક્ષક મંડળ સાથે બેઠક કરી હતી જેમાં સહમતી બાદ એવો નિર્ણય લેવાયો છે  કે એક વર્ષ માટે કોલેજ ચાલુે રખાશે.

રાજયમાં સોલા ખાતે એક માત્ર સંસ્કૃત બીએડ કોલેજ આવેલી છે જેમાં સ્ટાફના અભાવે એનસીટીઇએ માન્યતા રદ કરતા ચાલુ વર્ષે બીજા વર્ષમાં આવનારા વિદ્યાર્થીઓ અને નવા વર્ષમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓ મોટી મુશ્કેલીમાં મુકાયા હતા. વિદ્યાર્થી મંડળ તેમજ સંસ્કૃત શિક્ષક મંડળ દ્વારા સરાકાર સામે લેખિત રજુઆત કરાઇ હતી.

(12:39 pm IST)