પાદરાના તળાવમાં નહાવા પડેલા યુવાન હસમુખ તડવીનું ડૂબી જતા મોત
વડોદરાના પાદરામાં તળાવમાં ન્હાવા પડેલાં એક યુવકનું મોત થયું છે. પાદરાનાં લતીપુરા ગામમાં રહેતો 33 વર્ષીય હસમુખ તડવી નામનો યુવક તળાવમાં ન્હાવા પડ્યો હતો. ત્યાર બાદ તે લાપતા થતાં પોલીસને જાણ કરવામાં આવી હતી જો કે આ ઘટનાનાં પગલે વડોદરાની બચાવ ટુકડી આવી પહોંચી હતી અને યુવકને શોધવા માટે કામગીરી હાથ ધરી છે. તેમજ પોલીસ સહિત પાદરા મામલતદાર પણ ઘટના સ્થળે પહોંચ્યાં છે.
પાદર તાલુકાનાં લતીપુરા ગામમાં 33 વર્ષીય એક યુવક પરિવાર સાથે રહે છે. ત્યારે તે યુવક આજે સવારમાં ગામમાં આવેલાં તળાવમાં ન્હાવા પડતાં તે અચાનક જ ડૂબી ગયો હતો.જો કે, નજરે જોનારાં લોકોએ તો ફાયર બ્રિગેડને જાણ પણ કરી હતી.
ભારે જહેમત બાદ વડોદરા ડિઝાસ્ટર મેનેજમેન્ટનાં જવાનોએ આ યુવકને શોધવાની કામગીરી હાથ ધરી હતી. ત્યારે બાદમાં તેની લાશ પણ નીકાળી લેવામાં આવી હતી. અંતે તો પોલીસ સહિત મામલતદાર પણ ઘટના સ્થળે પહોંચી ગયાં હતાં.