ગુજરાત
News of Saturday, 19th June 2021

આવતીકાલે જામનગર ખાતે “સામાજિક અધિકારિતા શિબિર-દિવ્યાંગો માટે સહાયક સાધન વિતરણ" કાર્યક્રમ યોજાશે : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી વીડિયો કોન્ફરન્સ દ્વારા ગાંધીનગરથી ઉપસ્થિત રહેશે

અમદાવાદ : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના મુખ્ય અતિથિ પદે આવતીકાલે તા. ૨૦ જૂનના રોજ જામનગર ખાતે "સામાજિક અધિકારિતા શિબિર અને દિવ્યાંગજનો માટે વિનામૂલ્યે સહાયક સાધન   વિતરણ કાર્યક્રમ યોજાશે.આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ઉપસ્થિત રહેશે.
  ૭૫મા ભારત અમૃત મહોત્સવના ઉપક્રમે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય અંતર્ગત સવારે ૧૧.૩૦ કલાકે ધન્વંતરી ઓડિટોરિયમ-જામનગર ખાતે યોજાનાર આ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે કેન્દ્રના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી થાવરચંદ ગેહલોત જોડાશે. જ્યારે અતિથિ વિશેષ તરીકે ગુજરાતના સામાજિક ન્યાય મંત્રી ઇશ્વરભાઇ પરમાર, કૃષિ મંત્રી આર. સી. ફળદુ, અન્ન નાગરિક પુરવઠા રાજ્ય મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, ભાજપ પ્રદેશ પ્રમુખ અને સાંસદ સી. આર. પાટીલ, સાંસદ પૂનમબેન માડમ તેમજ પદાધિકારી- અધિકારીઓ સહિત લાભાર્થી દિવ્યાંગજનો ઉપસ્થિત રહેશે.

(6:39 pm IST)