ગુજરાત
News of Tuesday, 19th June 2018

નડિયાદમાં દેવીપૂજક પરિવાર વચ્ચે ધીંગાણું

નડિયાદ:  શહેરની મોટી શાકમાર્કેટ પાછળ આવેલ ખાંચામાં રેહતા દેવીપૂજક પરિવારો વચ્ચે નજીવી બાબતે ઝઘડો થયો હતો. આ બનાવ અંગે પિતા પુત્ર સામે ફરિયાદ નોંધાઈ છે. 
પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ નડિયાદ તાલુકાના નડિયાદ મોટી શાકમાર્કેટ પાછળ વાઘરીવાસમાં રહેતા રમેશભાઈ અમૃતભાઈ વાઘરી અને સાજનભાઈ વાઘરી વચ્ચે અગાઉ થયેલ ઝઘડાને લઈ ગઈકાલે બોલાચાલી થઈ હતી. જેમાં રમેશભાઈ વાઘરી સાથે અદાવત રાખી સાજનભાઈ ગુલાબભાઈ વાઘરીએ ગાળો બોલી ગડદાપાટુ માર માર્યો હતો. જ્યારે ગુલાબભાઈ ડાહ્યાભાઈ વાઘરીએ રમેશભાઈના માથામાં તલવાર મારી તેમજ ગડદાપાટુ માર માર્યો હતો. 
આ બનાવ અંગે રમેશભાઈ અમૃતભાઈ વાઘરીની ફરિયાદ આધારે નડિયાદ ટાઉન પોલીસે સાજનભાઈ ગુલાબભાઈ તેમજ ગુલાબભાઈ ડાહ્યાભાઈ વાઘરી સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

(7:58 pm IST)