ગુજરાત
News of Thursday, 19th May 2022

જેલમાં જવાથી બચવા માટે હાર્દિકે કોંગ્રેસછોડ્યું :જગદીશ ઠાકોરે કર્યો વળતો પ્રહાર

. હાર્દિકે કોંગ્રેસ છોડવા સમયે અનેક ધારાસભ્યોને ફોન કરીને સાથે ચાલવા કહ્યું હતું, પરંતુ કોંગ્રેસના કોઈ ધારાસભ્ય તેમની સાથે ગયા નથી

હાર્દિક પટેલના કોંગ્રેસ પર આક્ષેપ કરવા મુદ્દે જગદીશ ઠાકોરે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, હાર્દિકના તમામ આક્ષેપો પાયાવિહોણા છે. હાર્દિકના જવાથી સૌરાષ્ટ્રના કોઈ ધારાસભ્ય પાર્ટી છોડશે નહીં. વધુમાં તેમણે આક્ષેપ કરતા કહ્યું કે, હાર્દિકના રાજીનામાનો પત્ર કમલમમાંથી લખાયો હતો. જેથી પાટીદાર નેતા હાર્દિક પટેલને જવાબ આપશે.

હાર્દિક પટેલ સામે રાજદ્રોહને કેસ ચાલતા હતા. જેથી હાર્દિક જેલમાં જવાથી બચવા પ્રયાસ કરતો હતો. હાર્દિકે કોંગ્રેસ છોડવા સમયે અનેક ધારાસભ્યોને ફોન કરીને સાથે ચાલવા કહ્યું હતું, પરંતુ કોંગ્રેસના કોઈ ધારાસભ્ય તેમની સાથે ગયા નથી.

સાથે જ જગદીશ ઠાકોરે નરેશ પટેલ મુદ્દે મૌન સેવ્યું હતું. તેમણે કહ્યું કે, નરેશભાઇને કોંગ્રેસમાં આવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. અત્યારે તેમની સાથ માત્ર ચા પાણી કરવાનો કાર્યક્રમ હતો.

(4:38 pm IST)