નર્મદા જિલ્લામાં બુધવારે ૨૬ કોરોના પોઝિટિવ દર્દી સાથે જિલ્લાનો કુલ આંક ૩૯૫૧ પર પહોંચ્યો
(ભરત શાહ દ્વારા) રાજપીપળા : આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો.આર.એસ. કશ્યપ પાસે થી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં બુધવારે ૨૬ પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં રાજપીપળામાં હરસિધ્ધિ નગર ૦૧,નવા ફળિયા ૦૧, કાલા ઘોડા ૦૧,કુંભારવાડ ૦૧, હાઉસિંગ સોસાટી ૦૧ તથા નાદોદ તાલુકામાં ગોપલપુરા ૦૧,ઉમરવા ૦૧,વડિયા ૦૧, હજરપરા ૦૧, ધાનપોર ૦૧, વાવડી ૦૧ તથા ગરુડેશ્વર તાલુકામાં જીતપુરા ૦૧,કેવડિયા ૦૧,કોઠી ૦૧, ગરુડેશ્વર ૦૧, ગાડકોઇ ૦૧ તથા તિલકવાડા તાલુકામાં પૂછપૂરા ૦૧, વનમાલા ૦૧,અગર ૦૧, કસુન્દ્રા ૦૧, કંથરપુરા ૦૧, વજીરિયા ૦૧,વોરા ૦૧ તથા ડેડીયાપાડા તાલુકામાં મોટા સુકાઆંબા ૦૧,ડેડીયાપાડા ૦૧ તથા સાગબારા તાલુકામાં દેવમોગરા ૦૧ કેસ સાથે જિલ્લામાં કુલ ૨૬ પોજેટિવ કેસ નોંધાયા છે.
રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં ૧૭ દર્દીઓ સારવાર હેઠળ છે,કોવિડ કેર સેન્ટર માં ૫૩ દર્દી દાખલ છે. જ્યારે હોમ આઇસોલેશનમાં ૧૬૪ દર્દી દાખલ છે.આજે ૦૨ દર્દીઓના મૃત્યુ થયા, આજે ૩૭ દર્દીઓ સાજા થતા રજા અપાઈ છે, આજ સુધી જિલ્લા માં કુલ ૩૬૪૧ દર્દી સાજા થતા તેમને રજા આપવામા આવી છે.જિલ્લામાં કોરોના પોઝિટિવનો કુલ આંક ૩૯૫૧ પર પહોચ્યો છે.આજે વધુ ૧૦૦૫ સેમ્પલ ચકાસણી હેઠળ છે.