કરમસદમાં રિક્ષામાં મુસાફર ભરવાની બાબતે પિતા-પુત્રએ એકને માર માર્યો
આણંદ: તાલુકાના કરમસદ ગામે આજે બપોરના સુમારે રીક્ષામાં મુસાફરો ભરવાની બાબતે પિતા-પુત્રએ તકરાર કરીને એકને માર મારીને ડાબા હાથે ફ્રેક્ચર કરી નાંખતા આ અંગે વિદ્યાનગર પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે.
મળતી વિગતો અનુસાર કરમસદના ભુતીયા વડ પાસે રહેતા ઘનશ્યામભાઈ પઢિયારને નજીકમાં જ રહેતા સંજયભાઈ નટુભાઈ વાઘેલા સાથે કરમસદ મેડિકલ હોસ્પિટલ સામે રીક્ષામાં મુસાફરો ભરવા માટે બોલાચાલી થઈ હતી. દરમ્યાન બપોરના સવા બારેક વાગ્યાના સુમારે ઘરે આવી ચઢેલા સંજયભાઈએ ઝઘડો કરીને ઘનશ્યામભાઈને જણાવ્યું હતુ કે, તે કેમ પેસેન્જરો ભર્યા, ભાડુ મારુ હતુ તેમ જણાવીને રીક્ષામાંથી લોખંડની કીક કાઢીને માથામાં મારવા જતાં ઘનશ્યામભાઈએ ડાબો હાથ આડો કરી દેતાં હાથના ભાગે કીક વાગવાથી ફ્રેક્ચર થઈ જવા પામ્યું હતુ.
ત્યારબાદ સંજયના પિતા નટુભાઈ પણ આવી ચઢ્યા હતા અને ગડદાપાટુનો માર માર્યો હતો અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.