ગુજરાત
News of Monday, 19th April 2021

રાજ્યમાં કોરોના વિકરાળ બન્યો : રોજ નવા રેકોર્ડબ્રેક આંકડાથી લોકોમાં ફફડાટ : આજે નવા રેકોર્ડબ્રેક 11,403 પોઝિટિવ કેસ : વધુ 4179 દર્દીઓ સ્વસ્થ થયા : 117 દર્દીઓના મોત : કુલ મૃત્યુઆંક 5494 થયો : કુલ 3,41,724 લોકોએ કોરોનાને હરાવ્યો : વધુ 1,51,192 લોકોનું રસીકરણ કરાયું

અમદાવાદમાં 4258 કેસ, સુરતમાં 2363 કેસ, રાજકોટમાં 761 કેસ, વડોદરામાં 615 કેસ, મહેસાણામાં 418 કેસ, જામનગરમાં 389 કેસ, ગાંધીનગરમાં 239 કેસ, ભવનગરમાં 215 કેસ, બનાસકાંઠામાં 195 કેસ, ભરૂચમાં 169 કેસ, પાટણમાં 145 કેસ, કચ્છમાં 124 કેસ, જૂનાગઢમાં 120 કેસ, તાપીમાં 109 કેસ, દાહોદમાં 105 કેસ, આણંદમાં 99 કેસ, સુરેન્દ્રનગરમાં 98 કેસ, સાબરકાંઠામાં 94 કેસ, અમરેલીમાં 93 કેસ, ખેડામાં 91 કેસ, નવસારીમાં 87 કેસ, નર્મદામાં 94 કેસ, મહીસાગરમાં 75 કેસ, વલસાડમાં 71 કેસ, પંચમહાલમાં 67 કેસ, બોટાદમાં 57 કેસ, ગીર સોમનાથમાં 53 કેસ, અરવલ્લીમાં 52 કેસ, મોરબીમાં 51 કેસ નોંધાયા : હાલમાં 68,754 એક્ટિવ કેસ :જિલ્લા અને શહેરોની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો થઇ રહ્યો હતો ત્યારે આજે રાજ્યમાં ફરી કોરોનાએ માથું ઉચક્યું છે અને છેલ્લા કેટલાય દિવસો બાદ આજે  છેલ્લા કેટલાક દિવસથી નવા કેસની સંખ્યા ઝડપી ઉછાળો જોવાઈ રહ્યો છે , હવે રાજ્યમાં કોરોનાના નવા કેસ રેકોર્ડબ્રેક 5000ને પાર પહોંચ્યા છે તેવામાં છેલ્લા કેટલાક દિવસોથી નવા કેસની સંખ્યા 6 હજારને પાર પહોંચી હતી અને બાદમાં 7 હજારના આંકને વટાવ્યા બાદ સૌથી વધુ રેકોર્ડબ્રેક નવા કેસ નોંધાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે આજે રાજ્યમાં પહેલીવાર 11 હજારથી વધુ કેસ નોંધાયા છે આજે રાજ્યમાં 11,403 નવા કેસ નોંધાયા છે જયારે આજે વધુ  4179 દર્દીઓ રિકવર થયા છે

 રાજ્યના આરોગ્ય વિભાગની પરિણામલક્ષી કામગીરીને પગલે છેલ્લા ઘણા દિવસોથી  નવા કેસની સંખ્યા સતત ઓછી  થઇ રહી હતી તેવામાં ફરીથી નવા કેસ વધવા લાગ્યા છે સરકારે સાવચેતીના પગલાં રૂપે પાડોશી રાજ્યો મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશનો બોર્ડરે ચેકપોસ્ટ ઉભી કરીને તમામ યાત્રિકોનું સ્ક્રીનિંગ હાથ ધર્યું છે  આ ઉપરાંત રેલવે સ્ટેશન અને એરપોર્ટ પર પણ સ્ક્રીનિંગ વ્યવસ્થા ઉભી કરાઈ છે

મહારાષ્ટ્રથી આવતા વ્યક્તિઓ માટે કોવીડ 19નો RTPCR  ટેસ્ટ ફરજીયાત કરાયો છે આ ઉપરાંત ધનવંતરી રથની સેવાઓને વધુ સુદઢ કરવામાં આવી છે અને ધન્વંતરિ રથની સંખ્યા વધારવામાં આવી છે હવે પહેલી એપ્રિલથી મહારાષ્ટ્ર સહીત દેશના અન્ય રાજ્યોમાંથી આવતા તમામ વ્યક્તિઓનું કોવીડ 19નો RTPCR  ટેસ્ટ ફરજીયાત કરાયો છે નેગેટિવ રિપોર્ટ હશે તેને  જ ગુજરાતમાં પ્રવેશ આપવા નિર્ણય કરાયો છે 

  રાજ્યમાં આજે કોરોનાના નવા રેકોર્ડબ્રેક 11,403 કેસ નોંધાયા છે જયારે વધુ 4179 દર્દીઓ સ્વસ્થ થયા છે અત્યાર સુધીમાં કુલ  3,41,724 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે આજે રાજ્યમાં આજે કોરોનાથી 117 દર્દીઓના મોત થયા છે ,રાજ્યમાં મૃત્યુઆંક 5494 થયો છે,રાજ્યમાં રિકવરી રેટ 82,15 ટકા  થયો છે

 રાજ્યમાં આજે સુરત કોર્પોરેશનમાં 28, અમદાવાદ કોર્પોરેશનમાં 23,વડોદરા કોર્પોરેશનમાં 8,સુરેન્દ્રનગરમાં 6,જામનગર કોર્પોરેશનમાં 4,ભરૂચમાં 3,જામનગરમાં 3,મોરબીમાં 3,રાજકોટમાં 3,વડોદરામાં 3,બનાસકાંઠામાં 2,ભાવનગરમાં 2, છોટાઉદેપુરમાં 2,ડાંગમાં 2,દેવભૂમિ દ્વારકામાં 2,ગાંધીનગરમાં 2,મહેસાણામાં 2,સુરતમાં 2, અમરેલીમા 1,આણંદમાં 1,અરવલ્લીમાં 1,ભાવનગર કોર્પોરેશનમાં 1,બોટાદમાં 1,ગાંધીનગર કોર્પોરેશનમાં 1,જૂનાગઢમાં 1,પંચમહાલમાં 1,પાટણમાં 1અને સાબરકાંઠામાં 1 મળીને કુલ 117 લોકોના મોત થયા છે રાજ્યમાં કુલ મૃત્યુઆંક 5377 થયો છે

    રાજ્યમાં હાલ 68,754 એક્ટિવ કેસ છે, જેમાંથી 341 લોકો વેન્ટિલેટર પર અને 68,413 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 3,41,724 ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે 

 રાજ્યમાં કોરોનાની સારવાર માટે કોવીડ હોસ્પિટલોમાં વધુ 12,000થી વધુ બેડનો વધારો કરવામાં આવ્યો છે જેમાં બેડ અને વેન્ટિલેટર તેમજ આઈસીયુનો પણ સમાવેશ થાય છે

   રાજ્યમાં ગત 16 જાન્યુઆરીથી કોરોના રસીકરણનો પ્રારંભ થયેલ છે, બીજા તબક્કામાં પણ રસીકરણ પૂર્ણ થયું છે , અત્યાર સુધીમાં કુલ 89,59,960 વ્યક્તિઓને પ્રથમ ડોઝ અને 14,79,244 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ પૂર્ણ થયું છે આમ કુલ 1,04,39,204 રસીકરણના અપાય છે અત્યાર સુધીમાં રાજ્યમાં એકપણ વ્યક્તિને રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળી નથી

  રાજ્યમાં આજે  60 વર્ષર્થી વધુની ઉંમર વાળાને અને 45 થી 59 વર્ષના ગંભીર બીમારી ધરાવતા લોકોને કોરોના રસી અપાઈ હતી  કુલ 72,341 વ્યક્તિઓને પ્રથમ ડોઝ અને 69,895 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ કરાયું હતું

   રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 11,403 કેસમાં અમદાવાદમાં 4258 કેસ,સુરતમાં 2363 કેસ, રાજકોટમાં 761 કેસ, વડોદરામાં 615 કેસ, મહેસાણામાં 418 કેસ, જામનગરમાં 389 કેસ,ગાંધીનગરમાં 239 કેસ, ભવનગરમાં 215 કેસ,બનાસકાંઠામાં 195 કેસ, ભરૂચમાં 169 કેસ,પાટણમાં 145 કેસ,કચ્છમાં 124 કેસ,જૂનાગઢમાં 120 કેસ, તાપીમાં 109 કેસ, દાહોદમાં 105 કેસ, આણંદમાં 99 કેસ, સુરેન્દ્રનગરમાં 98 કેસ,સાબરકાંઠામાં 94 કેસ,અમરેલીમાં 93 કેસ, ખેડામાં 91 કેસ,નવસારીમાં 87 કેસ,નર્મદામાં 94 કેસ, મહીસાગરમાં 75 કેસ,વલસાડમાં 71 કેસ,પંચમહાલમાં 67 કેસ, બોટાદમાં 57 કેસ,ગીર સોમનાથમાં 53 કેસ,અરવલ્લીમાં 52 કેસ,મોરબીમાં 51 કેસ નોંધાયા છે

(8:14 pm IST)