અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં જૂથ અથડામણમાં યુવકની હત્યા કરેલ હાલતમાં લાશ મળી આવતા પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી
અમદાવાદ:જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં નજીવી બાબતે મારામારી અને જુથ અથડામણ સહિત હત્યાના બનાવો વધી રહ્યાં છે ત્યારે બાવળા તાલુકાના દહેગામડા ગામની સીમમાં આવેલ તળાવ પાસેથી હત્યા કરેલી હાલતમાં એક યુવકની લાશ મળી આવી હતી જે અંગે ભોગ બનનાર પરિવારજન બાવળા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથધરી હતી.
બાવળા તાલુકાના દેહગામડા ગામમની સીમમાં આવેલ સેમોજ તળાવમાં એક યુવકની હત્યા કરેલી હાલતમાં લાશ હોવાની જાણ આસપાસના લોકોન થતાં આ અંગે બાવળા પોલીસને જાણ કરી હતી આથી પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને વધુ તપાસ હાથધરી હતી જેમાં મૃતક યુવક સંજયભાઈ વિષ્ણુભાઈ જમોડ ઉ.વ.૨૨ રહે.દહેગામડા તા.બાવળાવાળો હોવાનું જણાઈ આવતાં આ અંગે પરિવારજનોન જાણ કરી હતી આથી પરિવારના લોકો પણ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતાં. જ્યારે પ્રાથમિક તપાસમાં અજાણ્યા શખ્સ દ્વારા કોઈ કારણોસર તીક્ષણ હથિયારના ઘા ઝીંકી યુવકની હત્યા નીપજાવી હોવાનું બહાર આવતાં ભોગ બનનાર યુવકના ભાઈ રામદેવભાઈ જમોડે બાવળા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી હતી.