ગુજરાત
News of Monday, 19th April 2021

મા અમૃતમ કાર્ડની મુદ્દતમાં ૩ મહિનાનો વધારોઃ નીતિનભાઈ પટેલની જાહેરાત

માર્ચ ૨૦૨૧ના મુદ્દત પુરી થઈ છે તેવા કાર્ડધારકોને ૨૦ જૂન સુધીની મુદ્દત લંબાવાઈ

રાજકોટ, તા. ૧૯ :. કોરોના મહામારી વચ્ચે રાજ્ય સરકાર દ્વારા મા અમૃતમ કાર્ડની મુદતમાં વધારો કરાયો હોવાનું નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલે જણાવ્યુ હતું.

આજે બપોરે પત્રકારો સાથેની વાતચીતમાં નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલે જણાવ્યુ હતુ કે નાગરીકોના મા અમૃતમ કાર્ડની મુદત તારીખ ૩૧ માર્ચ ૨૦૨૧ના પુરી થઈ છે. તેમને હાલની કોરોનાની પરિસ્થિતિને ધ્યાને લઈને મુદતમાં ૩ મહિનાનો એટલે કે તા. ૨૦ જૂન ૨૦૨૧ સુધી મુદત લંબાવાઈ છે તેમ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલે આજે બપોરે પત્રકારોને જણાવ્યુ હતું.

(3:33 pm IST)