News of Monday, 19th April 2021
એક સમયે મસ્જિદમાં ઇફતારીના થાળ સજતા હતા
અમદાવાદ : કોરોનાના વધતા જતા સંક્રમણને લીધે સતત બીજા વર્ષે પવિત્ર રમઝાન માસ કફર્યુની કેદ વચ્ચે મનાવવામાં આવી રહ્યો છે. હંમેશા રમઝાન માસમાં ભરચક રહેતી મસ્જિદો સૂમસામ ભાસી રહી છે. ઉકત તસ્વીર અમદાવાદની માણેક ચોક સ્થિત શાહી જુમ્મા મસ્જિદની છે. જયાં સરકારી ગાઇડલાઇન મુજબ ગણતરીના લોકો મસ્જિદમાં રોઝા ઇફતારીની તૈયારી કરી રહ્યા છે. જો કે રાજકોટમાં પણ અનેક મસ્જીદોમાં ઇફતરીના સામુહિક કાર્યક્રમો મોકૂફ રહ્યા છે.
(2:37 pm IST)